શ્રીભગવાનુવાચ ।
પરં ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમમ્ ।
યજ્જ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ ॥ ૧॥
શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ દિવ્ય પુરુષોત્તમ શ્રી ભગવાન બોલ્યા; પરમ્—પરમ; ભૂય:—ફરીથી; પ્રવક્ષ્યામિ—હું કહીશ; જ્ઞાનાનામ્—સમગ્ર જ્ઞાનનું; જ્ઞાનમ્ ઉત્તમમ્—સર્વશ્રેષ્ઠ જ્ઞાન; યત્—જે; જ્ઞાત્વા—જાણીને; મુનય:—સંતો; સર્વે—સર્વ; પરામ્—સર્વોચ્ચ; સિદ્ધિમ્—સિદ્ધિ; ઇત:—આ દ્વારા; ગતા:—પ્રાપ્ત થયા.
BG 14.1: દિવ્ય ભગવાન બોલ્યા: હું એકવાર પુન: સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન સમજાવીશ; જે જાણીને સર્વ મહાન સંતો સર્વોચ્ચ સિદ્ધિ પામ્યા.
અગાઉના અધ્યાયમાં શ્રીકૃષ્ણે કહ્યું હતું કે સર્વ જીવ-સ્વરૂપો આત્મા અને પદાર્થનું સંયોજન છે. પ્રકૃતિ (માયા) પુરુષ (આત્મા) માટે ક્રિયા ક્ષેત્રનું સર્જન કરવા માટે ઉત્તરદાયી છે, તે તેમણે વિસ્તૃત રીતે સ્પષ્ટ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, આ સર્વ સ્વતંત્ર રીતે થતું નથી, પરંતુ સ્વયં ભગવાનના નિર્દેશનમાં થાય છે કે જેઓ જીવોનાં અંત:કરણમાં પણ બિરાજમાન છે. આ અધ્યાયમાં તેઓ માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અંગે વિસ્તૃત વર્ણન કરે છે. આ જ્ઞાન પ્રાપ્ત કરીને અને તેને અનુભૂત જ્ઞાન તરીકે આપણી ચેતનામાં આત્મસાત્ કરીને આપણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ.
શ્રીભગવાનુવાચ ।
પરં ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમમ્ ।
યજ્જ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ ॥ ૧॥
દિવ્ય ભગવાન બોલ્યા: હું એકવાર પુન: સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન સમજાવીશ; જે જાણીને સર્વ મહાન સંતો સર્વોચ્ચ સિદ્ધિ પામ્યા.
Sign in to save your favorite verses.
Sign Inપવિત્ર ભગવદ્ ગીતાના શાશ્વત પ્રેરણાદાયક જ્ઞાનથી તમારો દિવસ શરૂ કરો, જે સીધું તમારા ઈમેઇલ પર પહોંચે છે!